રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ૭૦ મા પ્રજસત્તાક પર્વની ભવ્ય ઉજવણી


· રાવળિયાવદરની સરકારી માધ્યમિક શાળામાં ૨૬ મી જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ શાળાના પ્રાંગણમાં ૭૦ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજારોહણ પ્રસંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય નું આયોજન કરવામાં આવેલ.
· સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબના આયોજન, શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા અને અંકિતભાઈ પંચોલીના સંપૂર્ણ સંચાલન દ્વારા સફળ થયેલ.
·  પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામની શેરીઓમાં સવારે ૭:૩૦ વાગ્યે ડ્રમના નાદ અને નારાઓના ઉચ્ચારણ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવેલ.
·  ૭૦ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શાળામાં દીકરીને નામ, દેશને સલામ કાર્યક્રમ અંતર્ગત રાવળિયાવદર ગામની સૌથી વધારે ભણેલ દીકરી રાઠોડ નયનાબેન લક્ષ્મણભાઈ ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
·  ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રી સુરેશભાઈ રાઠોડ, ગામના આગેવાનશ્રી જીતેન્દ્રભાઈ જોષી, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી મનસુખભાઈ કુનતિયા અને અન્ય આગેવાનો તથા ગ્રામજનો અને વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં હાજરી હતી.
·  ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ વિશેના વક્તવ્યો, નાટકો, નૃત્ય નાટિકાઓ અને  સમુહ નૃત્યો રજૂ કરવામાં આવેલ.
·  પ્રાથમિક શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતાં દેત્રોજા વિશાલ રમેશભાઈ દ્વારા સ્વચ્છ ભારત પર વક્તવ્ય અને ધોરણ-૯માં અભ્યાસ કરતી દેથળિયા નિકિતાબેન વિનોદભાઈ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર વક્તવ્ય રજૂ કરવામાં આવેલ.
·  પ્રાથમિક શાળાની ધોરણ-૮ની દીકરીઓ દ્વારા ગુજરાતનો ક્રેઝ પર અને  કોની પડે એન્ટ્રી પર ગ્રૂપ ડાન્સ રજૂ કરવામાં આવેલ.
·  માધ્યમિક શાળાની ધોરણ-૯ની દિકરીઓ દ્વારા મોજમાં ગીત પર અને ઢોલીડા ગીત પર પોતાનો ગ્રૂપ ડાન્સ રજૂ કરેલ.
·  ધોરણ-૯ના વિદ્યાર્થીઓએ દેશભક્તિના સૂરો રેલાવતું જોરદાર કરૂણ નૃત્યનાટિકા રજૂ કરેલ.
· ધોરણ-૮ના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા વિશેનું અને વ્યસનમુક્તિ વિશેનું નાટક રજૂ કરેલ.
· કાર્યક્રમના અંતે દીકરીનું મહત્વ સમજાવતું લાડકી ગીત ધોરણ-૯ની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ અને સમગ્ર વાતાવરણ કરૂણમય બનાવેલ.
· રાવળિયાવદરની માધ્યમિક શાળાની ધોરણ-૧૦ની રાઠોડ જયોતિબેન મુકેશભાઈને શાળા પરિવાર વતી શ્રેષ્ઠ વિદ્યાર્થી  સન્માન આપવામાં આવેલ.
· માધ્યમિક શાળાના આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ વી. કુરિયા અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ આલ. દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવેલ.
· સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના અંગ્રેજી શિક્ષકશ્રી જયેશભાઈ એન. પઢારીયા દ્વારા કરવામાં આવેલ.

· સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને દેશપ્રેમની ભાવનાના ગૌરવની અભિવ્યક્તિ દ્વારા પૂર્ણ થયેલ.



























Previous Post Next Post