· રાવળિયાવદરની
સરકારી માધ્યમિક શાળામાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ
જયંતિની ઉજવણી અંતર્ગત શાળામાં તારીખ:- ૨૭-૦૯-૨૦૧૮ થી ૦૨-૧૦-૨૦૧૮ સુધી વિવિધ
સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ..
· શાળામાં
તા:- ૨૭-૦૯-૨૦૧૮ના રોજ મહાત્મા
ગાંધીના વિચારો આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ ૯ અને
૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ.
· તારીખ:- ૨૮-૦૯-૨૦૧૮ના રોજ શાળામાં “ગાંધીજીના
સ્વપ્નનું ભારત” વિષય
પર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં પણ ધોરણ ૯ અને ૧૦ના કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈને
પોત-પોતાના
વિચારો પોતાના નિબંધમાં વ્યક્ત કરેલ.
· તારીખ:- ૦૨-૧૦-૨૦૧૮ને મંગળવારના રોજ
શાળામાં ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં નીચે મુજબના વિવિધ
કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ :
ü શાળામાં
સવારે ૦૭:૦૦
વાગ્યે સમગ્ર રાવળિયાવદર ગામની ગલીઓમાં ગાંધીજીને પ્રિય એવું નરસિંહ મહેતાના ભજન “વૈષ્ણવજન”ના ગાન અને ગાંધીજીના
વિચારોના પોસ્ટરની રજુઆતો દ્વારા પ્રભાતફેરી રાખવામાં આવેલ અને ગામની શેરીઓ
ગાંધીમય બની ગયેલ.
ü પ્રભાતફેરી
પછી શાળાના પ્રાર્થનાખંડમાં ગાંધી જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
કરવામાં આવેલ જેમાં સૌ-પ્રથમ
સર્વધર્મ પ્રાર્થના- “ઓમ
તત્ સત્ શ્રી” નું
સમૂહ ગાન કરવામાં આવેલ.
ü સર્વધર્મ
પ્રાર્થના પછી “વૈષ્ણવજન”ભજનનું સમૂહમાં ગાન કરવામાં આવેલ.
ü ગાંધીજીના
વિચારો પ્રેરિત પ્રેરક પ્રસંગોનું વાચન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ જેમાં ‘સત્ય અને અહિંસા’, ‘સ્વચ્છતા
એ જ પ્રભુતા’, ‘ઉદારતા’ જેવા વિષયો હતા.
ü પ્રેરક
પ્રસંગોના વાચન બાદ ધોરણ ૯ અને ૧૦ના કુલ ૦૭ વિદ્યાર્થીઓએ ‘ગાંધીજીના સ્વપ્નનું
ભારત’ વિષય
પર વક્તૃત્વ સ્પર્ધામાં પોત-પોતાના વિચારો રજુ કરેલ.
ü કાર્યક્રમના
અંતે ગાંધીજીના જીવન-દર્શન
આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની રાઠોડ
જ્યોતિ મુકેશભાઈએ પ્રથમ ક્રમાંક મેળવેલ.
ü કાર્યક્રમના
અંતે શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે તમામ ભાગ લીધેલ વિદ્યાર્થીઓના આભાર-દર્શન દ્વારા
ગાંધીજીના વિચારોને જીવનમાં આચરણ દ્વારા સફળ કેવી રીતે થઈ શકાય તેની માહિતી આપેલ.
ü સમગ્ર
કાર્યક્રમ શ્રી જયેશભાઈ પઢારીયાના સંચાલન અને શ્રી અંકિતભાઈ પંચોલીના
સહકાર થકી સફળ થયેલ.
* * * * *