· રાવળિયાવદરની સરકારી
માધ્યમિક શાળામાં તા.૧૬-૦૭-૨૦૧૯ ને મંગળવારના રોજ ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી
કરવામાં આવેલ.
· કાર્યક્રમની શરૂઆતમાં
શાળાના શિક્ષકો દ્વારા દિપ-પ્રાગ્ટ્ય બાદ
વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોને તિલક-ચંદન અને પુષ્પ્ગુચ્છ અર્પણ કરી પોતાના વિદ્યા ગુરૂઓના આશિર્વાદ મેળવેલ.
· ધોરણ-૯ અને ૧૦ની વિદ્યાર્થીનીઓ : દેથળિયા દિપિકા, ઝખવાડિયા હિના, ગોહિલ રાધા અને ટમાલિયા આરતી દ્વારા ગુરૂ મહિમા વ્યક્ત કરતું ગીત પોતાના સુમધુર
કંઠે રજુ કરવામાં આવેલ.
· ગુરૂ પૂર્ણિમાના
પાવનપર્વે શાળામાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન
સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
· વક્તૃત્વ સ્પર્ધામાં
કુલ ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ પોતાની વાક્-છટા દ્વારા ગુરૂમહિમા
વિશે પોતાના વિચારો રજુ કરેલ અને નિબંધ લેખન સ્પર્ધામાં ૧૭ જેટલાં વિદ્યાર્થીઓએ
ભાગ લીધેલ.
· વક્તૃત્વ સ્પર્ધામાં
ધોરણ-૧૦ ની વિદ્યાર્થીની બારોટ ભૂમિકાએ પ્રથમ ક્રમાંક, ધોરણ-૯ ની વિદ્યાર્થીની ગોહિલ રાધાએ દ્વિતીય ક્રમાંક અને ટમાલિયા
આરતી તથા જોષી પ્રિયંકાએ તૃતીય ક્રમાંક મેળવેલ.
· કાર્યક્રમના અંતે
શાળાના આચાર્યશ્રી કુરિયા સાહેબે ગુરુ પૂર્ણિમા વિશે પોતાના વિચારો રજુ કરેલ
અને વિદ્યાર્થીઓને સફળ થવાના આશિષ આપેલ.
· સમગ્ર કાર્યક્રમનું સંચાલન
શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારિયા દ્વારા કરવામાં આવેલ.
· કાર્યક્રમના અંતે
વિદ્યાર્થીઓને પ્રસાદ રૂપે ચોકલેટનું વિતરણ કરવામાં આવેલ.