60 મા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે
પોતાના જીવની કે કુટુંબની પરવા કર્યા વિના કામ કરતા
કોરોના વોરિયર્સ પ્રત્યે ભાવ વ્યક્ત કરવા ચિત્ર, નિબંધ અને કાવ્ય સ્પર્ધાનું આયોજન
· સરકારી માધ્યમિક શાળા - રાવળિયાવદરમાં ધોરણ-9 અને ધોરણ-10ના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
· સ્પર્ધાનો વિષય :- ‘ગુજરાતના કોરોના વોરિયર્સ’
· ‘ગુજરાતના કોરોના વોરિયર્સ’ એટલે કે Covid-19 અંતર્ગત જે કોઈ વ્યક્તિ (ડોક્ટર્સ, નર્સ, હોસ્પિટલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, સેવાકીય સંસ્થાઓ કે આમાં રોકાયેલા કોઈપણ) જે પોતાના જીવની કે કુંટુંબની પરવા કર્યા વિના કામ કરી રહ્યા છે તેઓ.
· વિદ્યાર્થીએ તૈયાર કરેલ ચિત્ર, નિબંધ કે કાવ્ય તારીખ:- 10-05-2020 સુધીમાં અહિં દર્શાવેલ મોબાઈલ નંબર પર ફોટો મોકલવાનો રહેશે.
· પસંદિત બે કૃતિઓ જિલ્લા લેવલે મોકલવામાં આવશે.
· જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધા અને વિભાગમાં પ્રથમ ક્રમે રૂ.15,000, દ્વિતીય ક્રમે રૂ.11,000 અને તૃતિય ક્રમે રૂ. 5000 નો રોકડ પુરસ્કાર.
· રાજ્ય કક્ષાએ પાંચ વિજેતાઓને દરેક કેટેગરીમાં રૂ. 25,000 નો પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી અપાશે.
![]() |
